Posts

Showing posts from April, 2024

Navsari :આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા.

Image
Navsari :આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા. "હું મતદાન અવશ્ય કરીશ." આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ભૂલાય નહિ તમે પણ તા.07 મે ના રોજ અવશ્ય મતદાન કરજો #Election2024 #ElectionAwareness #VotingRights #IVoteForSure @CEOGujarat @ECISVEEP pic.twitter.com/XhFSfpI2E3 — Collector & DM Navsari (@CollectorNav) April 30, 2024

Valsad news: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં વલસાડ પોલીસ જવાનોએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાન કર્યું.

Image
   Valsad news: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં વલસાડ પોલીસ જવાનોએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાન કર્યું.  PB Facilitation at Valsad for Police #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 @ECISVEEP @collectorvalsad @CEOGujarat pic.twitter.com/sZcJcoAwNi — District Election Officer Valsad (@DeoValsad) April 29, 2024  તારીખ:૨૯-૦૪-૧૦૧૪નાં દિને વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં પોલીસ જવાનોએ પોલીસ કર્યું હતું જેમાં વલસાડના એસપી, ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઇ એ પણ મતદાન કર્યું હતું.  લોકસભાની સામાન્ય ચૂંટણી વલસાડ જિલ્લા અને ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. વલસાડ લોકસભા બેઠક ઉપર ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે પોલીસ હેડ કવાટર ખાતે પોલીસ જવાનો માટે બેલેટ પેપર ઉપર મતદાન યોજાઈ રહ્યું છે. ત્રીજા તબક્કાની સામાન્ય ચૂંટણીનો પ્રારંભ બેલેટ પેપર વડે મતદાન યોજાઈ રહ્યું છે. પોલીસ જવાનો ચૂંટણીની ફરજ દરમ્યાન મતદાનથી વંચિત ન રહે તે માટે બેલેટ પેપર વડે મતદાન યોજવામાં આવી

Valsad news:Voter awareness activities were held in Valsad district under the guidance of Hon'ble District Election Officer Valsad.

Valsad news:Voter awareness activities were held in Valsad district under the guidance of Hon'ble District Election Officer Valsad. Know Your Booth - જિલ્લામાં તમામ મતદાન મથકો ઉપર મતદારોની સુખાકારી રૂપે મતદાનના દિવસે ઉપલબ્ધ થનાર સુવિધાઓ, હીટ વેવ માં ધ્યાને લેવાની બાબતો, મતદાન મથક સફાઈ, મતદાર યાદીમાં નામની ચકાસણી, મતદાન માટેના અન્ય 12 પુરાવા વગેરે માહિતી પૂરી પાડવામાં આવેલ છે. @CEOGujarat @collectorvalsad pic.twitter.com/z6fLcIYnvV — District Election Officer Valsad (@DeoValsad) April 28, 2024 Under Know Your Polling Station initiative all BLOs are interacting with electors to find their name, Booth and ensuring cleanliness and AMF at all locations for poll day i.e 07/05/2024 @collectorvalsad @DDO_VALSAD @CEOGujarat @ECISVEEP pic.twitter.com/QnjOc1e9yH — District Election Officer Valsad (@DeoValsad) April 28, 2024 VAF at Alok Industries in Valsad @CEOGujarat @DDO_VALSAD @ECISVEEP @collectorvalsad pic.twitter.com/Cbc5gBUsYn — District Election Officer Valsad (@DeoVals

Navsari :Election 2024 awareness programs were held under the guidance of Navsari District Election Officer.

Navsari :Election 2024 awareness programs were held under the guidance of Navsari District Election Officer. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ નવસારી જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ માર્કેટ અને જાહેર સ્થળોએ જઈને પોસ્ટરો લગાવીને મતદાન કરવા માટે મતદારોને જાગૃત કરી રહી છે. ભૂલાય નહિ તા.07 મે ના રોજ અવશ્ય મતદાન કરજો. #Election2024 #NoVoterToBeLeftBehind #ElectionAwareness @CEOGujarat @ECISVEEP pic.twitter.com/Ru5B8TDvsZ — Collector & DM Navsari (@CollectorNav) April 28, 2024 આગામી લો.સા.ચૂં. અંતર્ગત જિલ્લામાં આજરોજ Know Your Polling Station અભિયાનમાં મતદારોને BLOશ્રી દ્વારા મતદારયાદીમાં નામ,ક્રમ, મતદાન માટે વૈકલ્પિક પુરાવા અને મતદાન મથકની જાણકારી વિ..જેવી માહિતી આપવામાં આવી. #LokSabhaElection2024 #KnowYourPollingStation #KYPS @ECISVEEP @CEOGujarat pic.twitter.com/VZyk2HffGx — Collector & DM Navsari (@CollectorNav) April 28, 2024 આજે તા. ૨૮/૦૪/૨૦૨૪ના દિને ૧૭૬-ગણદેવી(અ.જ.જા.) વિ.સ.મ.વિ. ની તમામ શાળાઓમાં KYPS (Know Your Polling Station) - "તમારા મતદાન મથકને જાણો&quo

Bhavnagar(Ghogha) news : ઘોઘાના તણસા ગામના ૧૦૫ વર્ષના સુમરીબાએ મતદાન કરવા અપીલ.

Bhavnagar(Ghogha) news : ઘોઘાના તણસા ગામના ૧૦૫ વર્ષના સુમરીબાએ મતદાન કરવા અપીલ. ઘોઘાના તણસા ગામના ૧૦૫ વર્ષના સુમરીબાએ અપીલ કરતાં કહ્યું કે, ૭મી મે એ હું મતદાન કરવા આવીશ તમે પણ મતદાન કરવાં આવજો. #LokSabhaElection2024 #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #InclusiveElections @ECISVEEP @DDNewsGujarati @PIBAhmedabad pic.twitter.com/WDxJloMAqL — Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) April 28, 2024

Navsari(chikhli) News :૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યું.

Image
Navsari(chikhli) News :૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યું. આજ રોજ ૨૫-નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૭૬- ગણદેવી (અ.જ.જા.) વિધાનસભામાં ૫ ટીમ બનાવીને ૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગ દર્શન હેઠળ કરાવવામાં આવ્યું. pic.twitter.com/B64T38d7rt — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 27, 2024

Navsari News : નવસારીનાં દાંડી બીચ ખાતે વિવિધ પ્રકારની રમણીય પ્રવૃત્તિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકે ફરજ બજાવી અચૂક મતદાન કરવા આહવાન.

Image
  Navsari News : નવસારીનાં દાંડી બીચ ખાતે વિવિધ પ્રકારની રમણીય પ્રવૃત્તિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકે ફરજ બજાવી અચૂક મતદાન કરવા આહવાન. તારીખ : ૨૭-૦૪-૨ ૦૨૪નાં દિને આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ દાંડી બીચ ખાતે ઝુમ્બા,સનેડો ડાન્સ,સંગીત ખુરશી,દોરડા ખેંચ અને સેલ્ફી પોઈન્ટ જેવી રમણીય પ્રવૃતિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકેની ફરજ બજાવીને આગામી તારીખ 7 મે ના રોજ અચૂક મતદાન કરવા આહવાન કર્યું. જેમાં નાના મોટા સૌ સહેલાણીઓ જોડાયા હતા. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ દાંડી બીચ ખાતે ઝુમ્બા,સનેડો ડાન્સ,સંગીત ખુરશી,દોરડા ખેંચ અને સેલ્ફી પોઈન્ટ જેવી રમણીય પ્રવૃતિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકેની ફરજ બજાવીને આગામી તારીખ 7 મે ના રોજ અચૂક મતદાન કરવા આહવાન કર્યું. #Election2024 #ElectionAwareness #GoVote pic.twitter.com/HWP5Av89F0 — Collector & DM Navsari (@CollectorNav) April 27, 2024

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા.

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા. લો. સા. ચૂં. ૨૦૨૪ અંતર્ગત વાણીયા મીલ હાઈસ્કુલ આંતલિયાના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળો તથા દુકાનોમાં મુલાકાત કરી આગામી તા. ૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધું મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કર્યા. pic.twitter.com/r56ki2NQNA — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે શ્રી દા.એ.ઈટાલીયા, સાર્વજનિક હાઈસ્કુલ, ચીખલીના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ચીખલીના બજાર વિસ્તારમાં વિવિધ દુકાનોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. pic.twitter.com/z4Uw8VPZ6K — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લો.સા.ચૂં. ૨૦૨૪ અન્વયે શ્રી બી.કે. પટેલ સાર્વજનિક હાઈસ્કુલ ગોંયદી, ભાઠલાના શિક્ષકો તથા અગ્રણી ગ્રામજનો દ્વારા વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા ૦૭ મે ૨૦૨૪ ના દિને મતદાન કરવા માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કરા

Navsari News : નવસારી પોલીસ દ્વારા નવસારીની એ.બી. સ્કૂલમાં સાઇબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનુ આયોજન કરાયું.

Image
        Navsari News : નવસારી પોલીસ દ્વારા નવસારીની એ.બી. સ્કૂલમાં સાઇબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનુ આયોજન કરાયું. તારીખ : ૨૪-૦૫-૨૦૨૫નાં દિને નવસારી એ.બી. સ્કુલ (પરતાપોર) ખાતે નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, નવસારી રૂરલ પોલીસ સ્ટેશન પોલીસ અધિકારી/કર્મચારી, સુરક્ષા સેતુ સોસાયટી, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સાથે સંયુક્ત રીતે સાઇબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું. આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે આ સેમીનારનું આયોજન કરાયું હતું.  આજના ડિજીટલ યુગમાં વિદ્યાર્થીઓની સાયબર જાગૃતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં ધ્યાનમાં લેવાના કેટલાક મુખ્ય મુદ્દાઓ છે: 1. ઓનલાઈન સલામતી: વિદ્યાર્થીઓને વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરવા, ઓનલાઈન ઉત્પીડન ટાળવા અને ફિશીંગ અને સાયબર ધમકીઓ જેવા સંભવિત જોખમોને ઓળખવાનું શીખવો. 2. પાસવર્ડ મેનેજમેન્ટ: મજબૂત, અનન્ય પાસવર્ડ્સને પ્રોત્સાહિત કરો અને પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરવાનું વિચારો. 3. ડિજિટલ ફૂટપ્રિન્ટ:

Navsari News :બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા.

Image
Navsari News :બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. pic.twitter.com/muEcI02gsA — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024

Navsari news: નવસારી લોકસભાની ચૂંટણીને પગલે મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશને દ્વારા સ્કીમ બહાર પડાઈ.

Image
                Navsari news: નવસારી લોકસભાની ચૂંટણીને પગલે મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશને દ્વારા સ્કીમ બહાર પડાઈ.  નવસારી લોકસભાની ચૂંટણીને લઈ નવસારી મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા સ્કીમ બહાર પાડવામાં આવી છે. જેમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરનાર મતદારો આંગળી પર મતદાનનું નિશાન બતાવતા તેઓને 7 થી 10 ટકા ડિસ્કાઉન્ટ આપશે. આગામી 7મી મે ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સરકાર પર ચૂંટણીના દિવસે તમામ નોકરિયાતવર્ગને રજા જાહેર કરવામાં આવી છે. જેથી તમામ મતદારો મતદાન કરી શકે. તો બીજી તરફ જિલ્લા તંત્ર પણ મતદાન જાગૃતિ કાર્યક્રમો ચલાવી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. ત્યારે લોકસભા ચૂંટણી સંદર્ભે નવસારી મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા સ્કીમ બહાર પાડવામાં આવી છે. જેમાં આગામી 7મી મે ના રોજ મંગળવારે મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના ડેક સભ્યો અને સ્ટાફ મતદાન કરશે. સ્ટાફને તે દિવસે મતદાન કરવા માટે દુકાનમાંથી રજા અપાશે અને મતદાન કરી સ્ટાફ પાછા દુકાને કામ પર આવશે. તેમજ આગામી 7મી મે અને 8મી મે ના રોજ જે કોઈ ગ્રાહક જેણે

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Image
Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

Image
     Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

navsari news :શ્રીમતી બી.સી.જે.સાર્વજનિક હાઈસ્કુલ, બીગરીના સહયોગથી મનરેગામાં કામ કરતા શ્રમિકોના કામના સ્થળે જઈ લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે શપથ લેવડાવીને સમજૂત કરવામાં આવ્યા.

Image
   navsari news :શ્રીમતી બી.સી.જે.સાર્વજનિક હાઈસ્કુલ, બીગરીના સહયોગથી મનરેગામાં કામ કરતા શ્રમિકોના કામના સ્થળે જઈ લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે શપથ લેવડાવીને સમજૂત કરવામાં આવ્યા.   આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ શ્રીમતી બી.સી.જે.સાર્વજનિક હાઈસ્કુલ, બીગરીના સહયોગથી મનરેગામાં કામ કરતા શ્રમિકોના કામના સ્થળે જઈ તા.7 મે 2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે શપથ લેવડાવીને સમજૂત કરવામાં આવ્યા. #Election2024   #ElectionAwareness   #VotingRights   pic.twitter.com/cDsOmAgMgd — Collector & DM Navsari (@CollectorNav)  April 23, 2024  

Navsari news: સત્ય સાંઈ નર્સિંગ કોલેજ્ મહુવાસ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો.

Image
         Navsari news: સત્ય સાંઈ નર્સિંગ કોલેજ્ મહુવાસ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો.  

Gandevi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ.

Image
                                            Gandevi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ. સરકારી શાળામાં બાળકોના નામાંકનમાં વધારો થાય એ હેતુસર નવસારી જિલ્લા તા.ગણદેવીની છાપર પ્રાથમિક શાળાએ શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓનાં ફોટા સહિતની જાહેરાતનાં બેનર બનાવી સોશ્યલ મીડિયામાં મુકવામાં આવ્યા છે.  જેમાં બાલવાટિકા અને ધોરણ -૮ માં પ્રવેશ મેળવવા માટે કયા કયા દસ્તાવેજો રજૂ કરવા બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાલવાટિકામાં પ્રવેશ મેળવવા ઉંમર બાબતે ૩૧-૦૫-૨ ૦૧૯નાં રોજ ૫ વર્ષ પૂરાં કરેલ હોવા બાબતે જણાવવામાં આવ્યું છે. હાલ સરકારશ્રી દ્વારા તમામ સરકારી શાળાઓમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સ્માર્ટ બોર્ડ,સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પુટર રૂમ, ઈન્ટરનેટની સુવિધા, લાઇબ્રેરીની સુવિધા, જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

vansda news :વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો.

Image
vansda news :વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. જેમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સુત્રો અને બેનરો હાથમાં રાખી મતદાનના ગરબા ગાયા. #Election2024 #ElectionAwareness #IVote4Sure pic.twitter.com/X9k4v7oDmQ — Collector & DM Navsari (@CollectorNav) April 20, 2024

ગુજરાતનું ભૂપૃષ્ઠ|Geography of Gujarat

Image
                  ગુજરાતનું ભૂપૃષ્ઠ| Geography of Gujarat પ્રાચીન સમયમાં ગુજરાતના વિવિધ ભાગો નીચેનાં નામે ઓળખાતા : (1) ‘આનર્ત‘ : તળગુજરાતનો ઉત્તરનો ભાગ (2) ‘લાટ‘ : હાલના ગુજરાતનો મધ્ય અને દક્ષિણનો ભાગ (3) ‘સુરાષ્ટ્ર‘ : હાલના સૌરાષ્ટ્રનો દ્વિપકલ્પીય ભાગ ભૂપૃષ્ઠ : ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ ગુજરાતના ચાર વિભાગો છે : (1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર (2) ગુજરાતનાં મેદાનો (3) સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ અને (4) ગુજરાતના ડુંગરાળ પ્રદેશો. (1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર : દરિયાકિનારો : ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે ત્રીજો ભાગ ગુજરાત ધરાવે છે. દમણગંગા અને તાપી વચ્ચેનો દરિયાકિનારો કાદવકીચડનો બનેલો છે. ‘સુવાલીની ટેકરીઓ‘ને નામે ઓળખાતો તાપીનો ઉત્તર કિનારો રેતાળ ટેકરીઓનો બનેલો છે. તાપીથી ખંભાત સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો છે. ખંભાતના અખાતમાં અલિયાબેટ અને પીરમ બેટ છે. ભાવનગર નજીક સુલતાનપુર અને જેગરી બેટ છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે દીવ, સિયાલ અને સવાઈ બેટ છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે બેટ દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ છે. બેટ દ્વારકાથી કચ્છના નાના રણ સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો અને ક્ષારીય કાદવી

IIT રૂરકીના પ્રો. સુનિલ બાજપાઈ અને દેબાજીત દત્તાએ ગુજરાતના કચ્છમાં 47-મિલિયન વર્ષ જૂની સાપની પ્રજાતિ વાસુકી ઈન્ડીકસની શોધ કરી.

IIT રૂરકીના પ્રો. સુનિલ બાજપાઈ અને દેબાજીત દત્તાએ ગુજરાતના કચ્છમાં 47-મિલિયન વર્ષ જૂની સાપની પ્રજાતિ વાસુકી ઈન્ડીકસની શોધ કરી. IIT Roorkee's Prof. Sunil Bajpai & Debajit Datta discovered Vasuki Indicus, a 47-million-year-old snake species in Kutch, Gujarat. Estimated at 11-15 meters, this extinct snake sheds light on India's prehistoric biodiversity. Published in Scientific Reports. #SnakeDiscovery pic.twitter.com/ruLsfgPQCc — IIT Roorkee (@iitroorkee) April 18, 2024 વિગતવાર અહેવાલ જોવા અહીં ક્લિક કરો. 

Sand art at Madhavpur Ghed Festival

      Sand art at Madhavpur Ghed Festival Sand art at Madhavpur Ghed Festival #IVoteforSure   #MeraVoteDeshkeliye   #ChunavKaParv   #DeshKaGarv   pic.twitter.com/drTne2MbJo — Chief Electoral Officer, Gujarat (@CEOGujarat)  April 17, 2024

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ.

         આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ.             આઝાદીના જંગનો આદિવાસી રંગ                  ભારતીય સ્વતંત્રતા આંદોલન વિશ્વના આઝાદીના ઈતિહાસોમાં અજોડ સ્થાન ધરાવે છે .આપણો આઝાદીનો જંગ ૧૮૫૭ થી શરુ થયો અને ૧૯૪૭મા સંપન્ન થયો .ભારતીય સ્વતંત્રતા આંદોલનની આ ૯૦ વર્ષની યાત્રા વિવિધરંગી રહી છે .સત્તાવનના સંગ્રામકારીઓ કરો ય મરોની ભાવનાથી અંગ્રેજો સામે ઝઝૂમ્યા હતા તો  થોભો અને રાહ જુઓની નીતિવાળો  મવાળવાદ ,વિચારોમાં ઉગ્રતા લાવવાના ખ્યાલવાળો જહાલવાદ અને યે શિર જાવે તો જાવે પર આઝાદી ઘર આવેની ગતિવિધિઓવાળી  ક્રાંતિકારી વિચારધારા પણ ભારતીય આઝાદીપ્રાપ્તિના મહત્વપૂર્ણ મુકામો રહ્યા છે .               ભારતીય સ્વતંત્રતા સંગ્રામ એ ભારતીય જનતાની સહિયારી અસ્ક્યામત છે .તેમાં કોઈ એક વર્ગ વિશેષ કે માત્ર નગરો - શહેરો પોતાનો હક દાવો કરી શકે તેમ નથી .શહેરો થી લઇ ગામડાઓ અને ભદ્ર વર્ગોથી લઇ દલિત - પીડિતોએ રાષ્ટ્રની આઝાદી કાજે પોતાની યથાશક્તિ આહુતિ આપી હતી એમાંનો એક મહત્વનો વર્ગ ભારતનો આદિવાસી સમાજ હતો .ભારતીય સ્વતત્રતા સંગ્રામ દેખીતી રીતે ભલે ૧૮૫૭મા શરુ થયો હોય પણ આદિવ

Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા.

Image
               Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા. વાંસદાઃ વાંસદા-વડલી ફળિયાના વતની,વ્યવસાયે શિક્ષક અને લોકસાહિત્યમાં વિશેષ રસરૂચિ ધરાવનાર મહેન્દ્રકુમાર રડકાભાઈ પટેલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની વિનયન શાખા, ગુજરાતી વિષયમાં "કુંકણા લોકવાર્તાઓઃ સંપાદન અને અભ્યાસ" શીર્ષક હેઠળ प्रस्तुत કરેલ મહાશોધ નિબંધને યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડીની પદવી એનાયત કરી હતી. મહેન્દ્ર પટેલે આ શોધ ગ્રંથ Smt. R.P. Chauhan Arts & Smt J.K. Shah & Shree K.D. Shah Commerce College વ્યારા-તાપીના એસોસિએટ પ્રોફેસર ડો.મેરૂ વાઢેળના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. આ અવસરે તેમના ગુરુજનો, માતા-પિતા, કુટુંબ-પરિવાર અને સ્નેહીમિત્રોએ હર્ષ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

Vansda news:લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના ખડકાળા ચોકડીથી હનુમાન બારી ચોકડી સુધીના રોડ પર મતદારોની જાગૃતિ માટે તેમજ મતદાનની અપીલ માટે રોડ પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું.

                                  Vansda news:લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના ખડકાળા ચોકડીથી હનુમાન બારી ચોકડી સુધીના રોડ પર મતદારોની જાગૃતિ માટે તેમજ મતદાનની અપીલ માટે રોડ પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું.   આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના ખડકાળા ચોકડીથી હનુમાન બારી ચોકડી સુધીના રોડ પર મતદારોની જાગૃતિ માટે તેમજ મતદાનની અપીલ માટે રોડ પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું.  #LokSabhaElection2024   #ElectionAwareness   #VotingRights   #IVote4Sure   @CEOGujarat   @ECISVEEP   pic.twitter.com/RDJoHqZddD — Collector & DM Navsari (@CollectorNav)  April 16, 2024

Khergam news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે ફ્લેગમાર્ચ યોજાઈ.

Image
                                                        Khergam news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે  ફ્લેગમાર્ચ યોજાઈ. તારીખ : ૧૬-૦૪-૨૦૨૪નાં દિને નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું. નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવેલ  @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/T0ImXnwK6a — SP NAVSARI (@SP_Navsari)  April 16, 2024

ખેરગામનામિલનપટેલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની માતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

Image
    ખેરગામનામિલનપટેલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની માતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન.

Image
                       ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન. ડો. ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ, ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના મહુમાં ત્યારે અછૂત ગણાતી મહાર જાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબાવાડેના વતની હોવાથી તેમની અટક આંબાવાડેકર હતી, પરંતુ એક શિક્ષકે શાળાના રજિસ્ટરમાં આંબેડકર કરીને પછી એ જ અટક રહી. તેમનો પરિવાર મુંબઈ વસ્યો એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને ૧૯૦૭માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. ૧૯૧૩માં અમેરિકાની કોલમ્બિયા યુનિર્વિસટીમાંથી એમએ અને પીએચડી થયા. અમેરિકાથી પરત ફરીને તેઓ થોડાં વર્ષો ભારતમાં રહ્યા અને ફરીથી વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા અને ૧૯૨૩માં બેરિસ્ટર બન્યા. ઈંગ્લેન્ડથી પાછા ફર્યા પછી તેઓ મુંબઈની લો કોલેજમાં પ્રોફેસર બન્યા. એ દરમિયાન જ તેમણે વર્ષોથી વંચિત રહેલા દલિતોના સન્માન અને અધિકાર માટે આજીવન કામ કર્યું.૧૯૪૭માં ભારતની વચગાળાની સરકારમાં ડો. આંબેડકર ભારતના પ્રથમ કાયદાપ્રધાન બન્યા. ત્યાર પછી ૨૯ ઓગસ્ટે ભાર

કોણ છે ગોપી થોટાકુરા ? બનશે ભારતના પ્રથમ અંતરિક્ષ પ્રવાસી.

Image
          #NewShepard   #NS25  crew will include Mason Angel, Sylvain Chiron, Ed Dwight, Ken Hess, Carol Schaller, and Gopi Thotakura. Read more 🚀:  https://t.co/KbAJkbRTvj   pic.twitter.com/8QBFYPJkYj — Blue Origin (@blueorigin)  April 4, 2024 કોણ છે ગોપી થોટાકુરા ? બનશે ભારતના પ્રથમ અંતરિક્ષ પ્રવાસી. આંધ્રપદેશના મૂળ વતની એવા થોટાકુરા જેફ બેઝોસના ખાનગી અવકાશ પર્યટન કાર્યક્રમમાં પસંદ થયા છે. રાકેશ શર્મા પછી અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે. ગોપી એક પાયલટ અને એવિએટર છે જેણે ડ્રાઇવિંગ કરતા પહેલા ઉડવાનું શીખી લીધું હતું. તેઓ પ્રિઝર્વ લાઇફ કોર્પના સહ-સ્થાપક છે, જે હાર્ટસફિલ્ડ-જેકસન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક સ્થિત સર્વગ્રાહી સુખાકારી અને એપ્લાઇડ હેલ્થ માટેનું વૈશ્વિક કેન્દ્ર છે. વ્યાપારી ધોરણે જેટ ઉડાવવા ઉપરાંત, ગોપી પાઇલોટ બુશ, એરોબેટિક અને સી પ્લેન તેમજ ગ્લાઈડર અને હોટ એર બલૂન ચલાવે છે અને આંતરરાષ્ટ્રીય મેડિકલ જેટ પાઈલટ તરીકે સેવા આપી છે. આજીવન પદયાત્રા કરનાર, તેનું સૌથી તાજેતરનું સાહસ તેને કિલીમંજારો પર્વતના શિખર પર લઈ ગયું. ગોપી એમ્બ્રી-રીડલ એરોનોટિકલ યુનિવર્સિટીમાંથી સ્નાતક છે.

Vansda news : નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરાયા.

Image
આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે-મનપુર,તા.વાંસદામાં ઘૈરૈયા નૃત્ય અને સ્થાનિક ભાષામાં કઠપૂતળી નાટક દ્વારા મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા તેમજ મતદારોને મતદાન માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. #Election2024 #ElectionAwareness #VotingRights #IVote4Sure #AVSAR2024 pic.twitter.com/zdu1DkjObO — Collector & DM Navsari (@CollectorNav) April 13, 2024    Vansda news : નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરાયા. તાજેતરમાં નવસારી જિલ્લા તથા 26 વલસાડ (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 177 વાંસદા (અ.જ.જા)ના વાંસદા તાલુકાના મનપુર ગામે વડલી ફળિયા ખાતે કઠપુતળી કાર્યક્રમ દ્વારા તથા વાંસદા તાલુકાના ગાંધી મેદાન સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળા પાસેથી તાલુકા સેવા સદન કચેરી સુધીના રોડ પર ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ ઉપરાંત નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, વાંસદા સહિત ઉચ્ચ અધિકારી કર્મચારીઓની ઉપસ્થીતી અને માર્ગદર્શન હેઠળ ખાસ કરીને આદિમ જૂથના લોકોના વ

Vansda news : વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર.

Image
    Vansda news : વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર.  (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 177 વાંસદા (અ.જ.જા)ના વાંસદા તાલુકાના મનપુર ગામે વડલી ફળિયા ખાતે કઠપુતળી કાર્યક્રમ દ્વારા તથા વાંસદા તાલુકાના ગાંધી મેદાન સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળા પાસેથી તાલુકા સેવા સદન કચેરી સુધીના રોડ પર ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું.  વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર  @InfoNavsariGoG   @CollectorNav   #Elections2024   #AIRPics  : અશોક પટેલ  pic.twitter.com/F6GHnja9ne — AIR News Gujarat (@airnews_abad)  April 12, 2024

Navsari news: અસ્પી કન્યા વિદ્યાલય આંતલિયાની ટીમ દ્વારા ટ્રોપિકલ કંપનીના કર્મચારીઓને મતદાન અંગે જાગૃતિ માટે પોસ્ટર પ્રદર્શન યોજાયું.

Image
          Navsari news: અસ્પી કન્યા વિદ્યાલય આંતલિયાની ટીમ દ્વારા ટ્રોપિકલ કંપનીના કર્મચારીઓને મતદાન અંગે જાગૃતિ માટે પોસ્ટર પ્રદર્શન યોજાયું. આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ અસ્પી કન્યા વિદ્યાલય આંતલિયાની ટીમ દ્વારા ટ્રોપિકલ કંપનીના કર્મચારીઓને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા તેમજ પોસ્ટર પ્રદર્શન કરીને મતદાન જાગૃતિની શપથ લઇ મતદાતાઓને મતદાન માટે કટિબદ્ધ કરવામાં આવ્યા. #Election2024   #ElectionAwareness   #IVote4Sure   pic.twitter.com/Y0Obn7zFWv — Collector & DM Navsari (@CollectorNav)  April 12, 2024

Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ.

Image
                                        Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ. આગામી લો.સા. ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. #Election2024   #ElectionAwareness   #VotingRights   pic.twitter.com/LWXu7X7msX — Collector & DM Navsari (@CollectorNav)  April 11, 2024

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
                                                                                                          Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ:૧૨-૦૪-૨૦૨૪ નાં દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકો અને ધોરણ -૮ નાં બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક બાળકો ધોરણ ૧માં અને ધોરણ -૬ માં દાખલ  થઈ ધોરણ ૮ સુધી આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ બાળકોની યાદો આ શાળા સાથે જોડાયેલા રહેશે.કાર્યક્રમ ના અંતે ધોરણ 7 ની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.       ત્યારબાદ ધોરણ 8 ની બાળાઓએ પોતાના સંસ્મરણો પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરી સંપૂર્ણ વાતાવરણ ભાવુક બનાવ્યું જે શાળા પરિવારની એકબીજા સાથેની આત્મીયતા દર્શાવે છે. પ્રથમ ધોરણ -૮ નાં વર્ગ શિક્ષક શ્રીમતી પ્રિયંકા દેસાઈએ તમામ બાળકો ભવિષ્યમાં ભણીગણીને આગળ વધે તેવા પ્રોત્સાહક પ્રવચન કર્યું હતું. જ્યારે વૈશાલીબેન પટેલ ભાવુક થઈ ગળગળા અવાજે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.  શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબ

Valsad news: ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત 50% કરતા ઓછા મતદાનવાળા મતદાન મથક વાપી -4 અને વાપી -6 પર લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Image
Valsad news: ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત 50% કરતા ઓછા મતદાનવાળા મતદાન મથક વાપી -4 અને વાપી -6 પર લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો.  ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત જ્યાં 50% કરતા ઓછું મતદાન થયેલ એવા મતદાન મથકો વાપી-4 અને વાપી-૬ માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે 8-4-24ના રોજ સુલપાડ મુખ્ય પ્રા શાળામાં લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Navsari news: નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો.

Image
                                                   Navsari news: નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો. તારીખ ૦૯-૦૪-૨ ૦૨૪નાં દિને નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ધોરણ 8 ના બાળકોએ ધોરણ ૧ થી ૮ સુધીની તેમની શૈક્ષણિક સફર વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. ધોરણ ૧ થી પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરુઆત કરનાર બાળકને શિક્ષકનો માતૃપ્રેમ મેળવી તેમણે ધોરણ ૮ સુધીની સફર દરમ્યાન કેટકેટલા સારા નરસા પ્રસંગોમાંથી તેઓ પસાર થયા છે. બાળપણની સ્મૃતિઓ કદી ભૂલી શકાતી નથી. પોતાના અનુભવો રજૂઆત કરતી વખતે વિદ્યાર્થીઓ ભાવવિભોર બની તેમની આંખના ખૂણામાંથી આંસુ ડોક્યું કરતાં હતાં.  શાળાનાં આચાર્યશ્રી ફુલચંદ ભગતાણી અને શાળાનાં શિક્ષક ઉપરાંત નવસારી જિલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલે શાળા બાળકોને ભવિષ્યમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ધોરણ -૮ નાં વર્ગશિક્ષક દ્વારા પણ બાળકોને પ્રોત્સાહક પ્રવચન રજૂ કર્યું હતું. તેમજ  સતત સફળતા મેળવે તેવા આશીર્વાદ અને આશી વચન આપ્યા ત્યાર બાદ બાળકો દ્વારા ફોટોસૂટ યોજી